BIPORJOY વાવાઝોડા થી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સ(Cash dols sahay)ની સહાય રોકડમાં આપવાની સરકારે કરી જાહેરાત

BIPORJOY વાવાઝોડા થી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સ (Cash dols sahay) સહાયની કરી જાહેરાત: મહેસૂલ વિભાગના ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને દૈનિક રોકડ સહાય (કેશડોલ્સ) ની સહાય ચૂકવવાનું નક્કી કરેલ છે. જેના ધારા-ધોરણો બહાર પાડેલા છે. જ્યારે SDRF/NDRF અન્વયે અપાતી તમામ પ્રકારની સહાય અસરગ્રસ્ત આપવામાં આવે છે. જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં DBT(Direct Benefit Transfer) અથવા PFMS (Public Fund Management System)મારફતે જ ચૂકવવાની સુચનાઓ અમલમાં છે.

પરંતુ, બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં હાલના સંજોગોમાં બેન્કીંગ વ્યવહાર મુશ્કેલ બને તથા અશક્ય છે. આવા સંજોગોમાં કેશડોલ્સની રકમ અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં જમા કરવી અને તેનો ઉપાડ કરવો તે પણ ખૂબ જ કઠિન થઈ જાય. જેને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સની સહાય રોકડમાં આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

Highlight Points of Biporjoy Cyclone Help from Cash dols sahay :

આર્ટિકલનું નામબિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય રોકડમાં આપવા બાબત.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
કોને કોને મળશે આ સહાય ?બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને રોકડ સહાત
કેશડોલ્સની સહાય એટલે શું? કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે. તેને કેશડોલ્સ સહાય કહેવાય છે.
કોને કેટલી સહાય મળશે? પુખ્ત વ્યક્તિઓને મહત્તમ 5(પાંચ) દિવસ માટે રૂ.100/- પ્રતિદિન અને બાળકોને રૂ.60/- પ્રતિદિન રોકડમાં સહાય આપવામાં આવશે.
સહાય આપનાર વિભાગનું નામ મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્ય સરકાર
હવામાન વિભાગની અધિકૃત આગાહીની Official PDFઅહિં ક્લિક કરી PDF ડાઉનલોડ કરો
Biparjoy Cyclone હેલ્પલાઇન નંબર માટે અહિં ક્લિક કરો
જુઓ Biparjoy વાવાઝોડાનું Live Locationઅહીં ક્લિક કરીને

Biparjoy વાવાઝોડાને લઇને ગુજરાત સરકારશ્રી દ્વારા કેટલી સહાય નક્કી કરવામાં આવી ?

બિપોરજોય વાવાઝોડામાં અસરાગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાયભૂત ખૂબ જ જરૂરી છે. જેથી સરકાર દ્વારા કેશડોલ્સ સહાય રકમ રોકડમાં આપવા નક્કિ કરવામાં આવ્યું છે. આ સહાય કોણે મળશે અને ક્યાં-ક્યાં જિલ્લાઓમાં મળશે. તેની સંપૂર્ણ માહિતી નીચે જતાં મેળવીશું.

શું છે કેશડોલ્સ સહાય ?

બિપોરજોય વાવાઝોડામાં આવેલ કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે જેને કેશડોલ્સ સહાય કહેવાય છે. સરકારના વહિવટીતંત્ર દ્વારા BIPORJOY વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના સ્ટેશને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલ અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તથા ખાવા-પિવાના હેતુંં અને સાધન-સામગ્રીની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા ગુજરાત સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની કેશ ડોલ્સ સહાય ચૂકવવાની થાય છે.

બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને કેશડોલ્સ સહાય અંતર્ગત કેટલા રૂપિયા આપવામાં આવશે?

બિપોરજોય વાવાઝોડા દરમ્યાન જે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને સહાય આપવામાં આવશે. જેમાં પુખ્ત વ્યક્તિઓને મહત્તમ 5(પાંચ) દિવસ માટે રૂ.100/- પ્રતિદિન અને બાળકોને રૂ.60/- પ્રતિદિન રોકડમાં સહાય આપવાવાનું સરકારશ્રીને નક્કી કરેલ છે જે મુજબ મળશે.

જાણો તો આ સહાય હવે ક્યાં-ક્યાં જિલ્લાઓમાં મળશે?

બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત પામેલા જિલ્લાઓમાં જ આ સહાય આપવામાં આવશે જેની યાદી નીચે મુજબ આપેલ છે.

  • અમદાવાદ
  • અમરેલી
  • આણંદ
  • ભરૂચ
  • ભાવનગર
  • દેવભૂમિ દ્વારકા
  • ગીર સોમનાથ
  • જામનગર
  • જુનાગઢ
  • કચ્છ
  • રાજકોટ
  • મોરબી
  • નવસારી
  • પોરબંદર
  • સુરત
  • વલસાડ
  • બોટાદ
  • ખેડા
  • સુરેન્દ્રનગર
  • ગાંધીનગર
  • પાટણ
  • મહેસાણા

Download Official Notification PDF

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. Biporjoy વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય સરકારના ક્યા વિભાગ દ્વારા બહાર પાડી છે?.
    જવાબ:
    ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ સહાય બહાર પાડેલ છે.
  2. કેશડોલ્સની સહાય એટલે શું?
    જવાબ:
    કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે. તેને કેશડોલ્સ સહાય કહેવાય છે.
  3. કેશડોલ્સ સહાય હેઠળ કોને કેટલી સહાય મળશે?
    જવાબ:
    પુખ્ત વ્યક્તિઓને મહત્તમ 5(પાંચ) દિવસ માટે રૂ.100/- પ્રતિદિન અને બાળકોને રૂ.60/- પ્રતિદિન રોકડમાં સહાય આપવામાં આવશે.

Leave a Comment