Indian Post Yojana 2023: ‘Hit’ સાબિત થઈ પોસ્ટની આ યોજના! 10,000નું રોકાણ કરીને મેળવો 7 લાખ રૂપિયા; જાણો કેવી રીતે?

Indian Post Yojana 2023: મળતી જાણકારી અનુસાર, પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ પ્રમાણે, જો કોઈ રોકાણકાર આ સ્કીમમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને 5 વર્ષ પછી 7,10,000 રૂપિયા મળશે.

નવી દિલ્હીઃ દેશમાં સૌથી મોટી સરકારી સંસ્થા પોસ્ટ ઓફિસ ઘણી સરકારી યોજનાઓનું સંચાલન કરે છે. જેમાં દેશના કરોડો લોકો રોકાણ કરીને ફાયદો ઉઠાવે છે. આ સમયે પોસ્ટ ઓફિસની એક સ્કીમ Indian Post Yojana 2023 રોકાણકારોની વચ્ચે ઘણી હિટ સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો: એસબીઆઇ સાથે તમારા મોબાઇલથી કામ કરીને દર મહિને ₹50,000 સુધી કમાઓ

Indian Post Yojana 2023 માં 5 વર્ષના રોકાણ પર તગડું વળતર મળી રહ્યું છે. સરકારે આ ક્વાટર માટે તેના પર મળનારું વ્યાજ પણ વધાર્યું છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણકારોને 6.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ, પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ. જેમાં એક અને 2 વર્ષના રોકાણક પર તગડું વળતર મળી રહ્યું છે.

10,000ના રોકાણ પર મળશે આટલા લાખ

જાણકારી અનુસાર, પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ પ્રમાણે, જો કોઈ રોકાણકાર આ સ્કીમમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને 5 વર્ષ પછી 7,10,000 રૂપિયા મળશે. તે પાંચ વર્ષમાં 6 લાખ રૂપિયા જમા કરશે અને 1 લાખ 10 હજાર રૂપિયા વ્યાજ તરીકે મળશે.

આ તારીખ સુધી જમા કરવા પડશે રૂપિયા

જો તમે પોસ્ટ ઓફિસમાં 1થી 15 તારીખની વચ્ચે આરડી ખાતું ખોલાવો છે, તો તમારે 15 તારીખ સુધી રોકાણ કરવું પડશે. જ્યારેસ 15 તારીખના રોજ એકાઉન્ટ ખોલાવો છો, તો 15 તારીખ બાદ દર મહિનાના અંતમાં રૂપિયા જમા કરવા પડશે.

નવા વ્યાજ દરો 1 જુલાઈથી લાગૂ

પોસ્ટ ઓફિસની નવા વ્યાજ 1 જુલાઈથી લાગૂ થઈ ગયા છે. આ યોજનામાં વાર્ષિક વ્યાજનો લાભ મળે છે. જો કે તેની ગણતરી ક્વાટરના આધાર પર કરવામાં આવે છે. સરકાર દર ક્વાટરની શરૂઆતમાં તેના વ્યાજ દરો નક્કી કરે છે. પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ સ્કીમ 5 વર્ષ માટે છે. તેને બીજા 5 વર્ષ માટે વધારી શકાય છે

Leave a Comment