Gharghanti sahay yojana gujarat: ઘરઘંટી સહાય યોજના હેઠળ મેળવો રૂપિયા 15000/- ની સહાય

Gharghanti sahay yojana gujarat:ઘરઘંટી સહાય યોજના હેઠળ મેળવો રૂપિયા 15000/- ની સહાય જાણૉ વિગતે માહીતી અને અહીંથી કરો ઓનલાઇન અરજી

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે અને કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ સહાય યોજના , રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે ઘરઘંટી સહાય યોજના (gharghanti sahay yojana) વિશે સંપુર્ણ વિગતે માહિતી મેળવીશું.

માનવ કલ્યાણ યોજના

Gharghanti sahay yojana Gujarat

ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana Online Form 2023 હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું અહિંથી

Highlight Point of Gharghanti sahay yojana

પોસ્ટકનું નામ ઘરઘંટી સહાય યોજના ગુજરાત
મુખ્ય યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2023
ઘરઘંટી સહાય યોજનાએ કઈ યોજનાનો ભાગ છે ?Manav Kalyan Yojana Gujarat
આ યોજનાના હેઠળ શું લાભ મળે?નવ યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે.
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે?આ યોજના હેઠળ રૂપિયા 15000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે.
પોસ્ટની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા ( કોણ મેળવી શકે લાભ)BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને આ સહાય મળવા પાત્ર છે.
શું સહાય મળવાપાત્ર છે ? આ યોજના હેઠળ રૂપિયા 15000/- ની ઘરઘંટી સહાય યોજના
અરજી પ્રક્રિયા / રીત અરજી ઓનલાઈન કરવાની રહેશે.
સત્તાવાર વેબસાઇટhttp://www.cottage.gujarat.gov.in/
Online Application Websitehttps://e-kutir.gujarat.gov.in/
e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e-Kutir Online Process
Gharghanti sahay yojana Highlight Point

ઘરઘંટી સહાય યોજના હેઠળ શું લાભ મળે અને કેટલા રૂપિયાની સહાય મળે જાણો ?

  • માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે તે માટે “ઘરઘંટી સહાય” આપવામાં આવે છે. આ ઘરઘંટી સહાય – સાધન સહાય યોજનામાં 15000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવતી હોય છે.

Gharghanti sahay yojana PDF Form કેવી રીતે મેળવવું?

  • કમિશ્રન કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.

Documents Required Of Gharghanti sahay yojana | ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ યાદી

માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. અનાજ દળવાના ધંધા માટે Ghar Ghanti Sahay Yojana ચાલુ કરેલ છે. જેના અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  1. લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  2. Flour Mill Sahay Yojana નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  3. લાભાર્થીનું રેશનકાર્ડ
  4. ચૂંટણીકાર્ડની નકલ
  5. આધારકાર્ડની નકલ
  6. અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  7. લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
  8. ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  9. આવક અંગેનો દાખલો
  10. અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો

Gharghanti sahay yojana માં ઘરઘંટી સહાય મેળવવા માટે ખાસ કઈ બાબત જરૂરિયાત છે?

  • આ Gharghanti sahay yojana સહાય યોજનાનો લાભ મેળવવા માટે “ઘરઘંટી ચલાવેલ હોય તો તેનું પ્રમાણપત્ર જરૂરી છે તથા ઘરઘંટી ચલાવવાની તાલીમ મેળવેલ હોય તો અનુભવ પ્રમાણપત્ર જરૂરી છે.

How To Online Apply Gharghanti sahay yojana। ઘરઘંટી સહાય મેળવવા કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Application કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
  • E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf” પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘર ઘંટી સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • અનાજ દળવા માટે માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

ઓનલાઇન અરજી કરવા આ વોટ્સેપનંબર : 70961 60966 પર સંપુર્ણ ડોક્યુમેન્ટ સાથે મેસેજ કરો ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાંં આવશે.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. Flour Mill Sahay Yojana 2023 માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?
    જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.
  2. ઘરઘંટી સહાય માટે કોણ-કોણ અરજી કરી શકે છે?
    જવાબ: આ યોજના માટે અનાજ દળવાની તાલીમ મેળવેલ હોય કે આનો અગાઊ ધંધો કરેલ હોય તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
  3. Ghar Ghanti Sahay Yojana હેઠળ શું સહાય આપવામાં આવે છે અને તેની કિંમત કેટલી થશે?
    જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 15000/- થાય છે.

Leave a Comment